રિટર્ન ટિકિટ
હું વીસમી સદીના છઠ્ઠા દસકામાં આ ધરતી પર
રિટર્ન ટિકિટ કન્ફર્મ કરીને જ અવતર્યો
હતો,
પણ એ સમજતાં મને વાર લાગી.
હવે મોડે મોડે છેક એકવીસમી સદીના ત્રીજા દસકામાં
કુદરતનું સનાતન સત્ય જયારે સમજાયું છે ત્યારે,
હું જીવનને મન ભરીને માણું છું, મનમાં ભરીને નહિ.
મારી તકલીફોની કોઈને નથી કરતો ફરિયાદ,
કરું છું તો બસ શુભ પ્રસંગો ફરી ફરી ને યાદ.
જે મળ્યું છે એમાં જ હવે ખુશ રહેવાનો,
જે ખોયું તેનો હવે વળી ગમ શાનો ??
કારણ કે રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે.
જીવનનું આ જ સનાતન સત્ય છે.
(પંકજદાંડી)
nice
ReplyDelete