હિન્દુસ્તાનમાં શું થઇ રહ્યું છે
અરે આ હિન્દુસ્તાનમાં શું થઇ રહ્યું છે ?
આંદોલનોને કારણે અંદરથી ખોખલું થઇ રહ્યું છે.
દ્રૌપદી રૂપી બંધારણનું ફરી વસ્ત્રાહરણ થઇ રહ્યું છે,
ને પ્રજા મૌન પાંડવ બનીને તાંડવ જોઈ રહી છે.
એક પક્ષ એકતા બતાવીને આઝાદી માંગી રહ્યો છે,
બીજો નાત-જાત ને ઊંચ-નીચના ઘેરામાં ઘૂંટાઈ રહ્યો
છે.
એક પક્ષ મજબૂત બન્યો તેમનાં ઠેર ઠેર શાહીન બાગ છે,
બીજો છેક જ અપંગ, તેમની ન કોઈ મા ન તો બાપ છે.
શબ્દોની ગટર ગંગા વહી રહી છે તકસાધુ નેતાઓને મોઢે,
ટીવી ચેનલો બેફામ બની રહી છે ને એન્કર ગેસ્ટ લાઈવ લઢે.
ફેસબુક પર કોકને ગોડસેમાં રાષ્ટ્રપિતાનાં દર્શન થાય છે,
વોટ્સએપ પર સાવરકરને વખાણી ને ગાંધીને ગાળો ભાંડે છે.
ટોક શો માં નૂપુર શર્માનું નિવેદન રાષ્ટ્રિય આપત્તિ આણે છે,
પાકિસ્તાન પ્રેરીત હિન્દુસ્તાનના દુશ્મનોએ લીધો મોદી નિશાને છે.
ED સમક્ષ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસી રાહુલ ભેરવાયો છે,
OROP નો સફળ મોદી અગ્નિપથ ને અગ્નિવીરમાં સલવાયો છે.
(પંકજદાંડી)
nice
ReplyDelete