સીતાના
પ્રશ્નો
જો રાજા જનકને હું ધરતીમાંથી મળી
તો મારાં સાચાં માં બાપ કોણ ?
મહેલમાં ઉછરી ને શિવ ધનુષથી રમી,
તો મારુ હરણ કરનાર બળિયો કેમ?
જો રામ વિષ્ણુ, તો હું પણ લક્ષ્મી,
પછી મહાન માત્ર રામ જ કેમ?
શીલ, ગુણ, રૂપ, પવિત્રતા ને પતિવ્રતા
તો ય અગ્નિપરીક્ષા મારી જ કેમ?
પતિ વિના હું રહી એટલે અપવિત્ર,
તો પત્ની વિના રહેલા રામ પવિત્ર કેમ ?
સીતાનો સીધો સવાલ સોસીયલ મીડિયામાં
કોઈ ફરક પડશે સતયુગ ને મોદીયુગમાં ?
(પંકજદાંડી)
saras
ReplyDelete