કાન્તાબહેનને
1967ની સાલમાં
વિદ્યામંદિર
સામાપુરથી આવેલ, વર્ધા રાષ્ટ્રીય શાળા
દાંડીમાં
એક નાનકડા
વિધાર્થીએ સ્થાન મેળવ્યું હતું તમારા હૃદયમાં.
ધોરણ ત્રણનાં મારાં
શિક્ષિકાના વહાલનો જાદુ
હજુ પણ જણાય છે
મારા વ્યવહારમાં.
મારી મજાક, મસ્તી, તોફાનો અને નખરાંને સહી
લીધા પછી પણ
માફ કરી દેવાના
તમારા ‘પં...ક...જ’ શબ્દના સ્પંદનો,
હજુ પણ સંભળાય છે
મને મોન્ટ્રિઅલમાં.
આજે બાસઠ વર્ષની
ઉંમરે તમારો આ વિદ્યાર્થી જે કંઈ લખશે,
અજાણતામાં પણ
તમારું શીખવેલું જ્ઞાન એની પંક્તિઓમાં લહેરાશે.
નથી કહેતો તમે
ભળી ગયાં છો પંચમહાભૂતમાં,
અમર છો અને રહેશો
મારા ‘પંક્જત્વ’માં.
(પંકજદાંડી)
હું મારા તમામ
શિક્ષકો અને પ્રોફેસરોને ખુબ જ આદર અને માન આપું છું. હજુ થોડા દિવસો પહેલાં જ
ગુરુપૂર્ણિમા ગઈ અને આજે મારાં પ્રાથમિક શાળાનાં ધોરણ ત્રણનાં શિક્ષિકા
કાન્તાબહેનના અવસાનના સમાચાર મળ્યા. એમને શ્રદ્ધાંજલિ આપતી આજની રચના...
No comments:
Post a Comment