જગતનો આ જ નિયમ છે
તમને કદાચ ખબર નહીં હોય
પણ જગતનો આ જ નિયમ છે,
જ્યાં સુધી તમે ઘરમાં પૈસા લાવશો
ત્યાં
સુધી જ ઘરનાં લોકોને તમે ગમશો.
ત્યાં સુધી જ તેઓ તમારી આગળ પાછળ રહેશે.
પણ જેવા તમે નિવૃત્ત થશો,
પૂરતું બેન્ક બેલેન્સ અને પેન્સન ન હશે તો
તમને બાજુ પર મૂકી દેવાશે.
તમારી જ વહુ તમે સાંભળો એમ બોલશે;
‘હવે તો બાપુજી જાય તો સારું.’
તમને ખુબ માઠું લાગશે, આંખો રડી પડશે
પણ,
જગતનો આ જ નિયમ છે.
માટે થોડુંક પોતાને માટે પણ જીવો.
(પંકજદાંડી)
No comments:
Post a Comment